Zee-૨૪ કલાક દ્વારા આયોજિત શિક્ષા કોનકલેવ 2025 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને "એક્સેલેન્સ ઇન એજ્યુકેશન" માટે સન્માનિત કરવામાં આવી
માનનીય શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તથા કુબેરભાઈ ડીંડોર સાહેબના વરદહસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી સાહેબને "એક્સેલેન્સ ઇન એજ્યુકેશન" માટે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 58 વર્ષથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં રાજ્યમાં અગ્રેસર છે અને આ માટે Zee-૨૪ કલાક દ્વારા આયોજિત શિક્ષા કોનકલેવ 2025 માં કુલપતિ ડો. ઉત્પલ જોશીએ NEP 2020 ના અસરકારક અમલીકરણ, પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અને કોમન એડમિશન પ્રક્રિયા GCAS પર તેમના વિચારો રજૂ કર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને "એક્સેલેન્સ ઇન એજ્યુકેશન" એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કોનકલેવ માં સરકારી અને ખાનગી યુનિવર્સિટી ના કુલપતિઓ, શિક્ષણવિદો, પત્રકારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા